આનંદાલયની સ્થાપના શા માટે ?

આનંદાલય દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. જે ચારિત્ર્ય નિર્માણ દ્વારા જ સંભવ છે, એટલે આનંદાલય ચારિત્ર્ય નિર્માણનું મૂળ પાયાનું કામ કરવા ઈચ્છતા સમર્પિત સાધકો દ્વારા શરૂ થઈ છે. શિક્ષણક્ષેત્રની આજે દેશમાં શું સ્થિતિ છે? શિક્ષણની વર્તમાન કટોકટી જ્ઞાનની નથી પણ ચારિત્ર્યની છે.
ચારિત્ર્ય નિર્માણ જ દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે અને તે જ આનંદાલયનું કામ છે. ચારિત્ર્ય નિર્માણ જ આ દેશની સર્વોત્તમ જરૂર છે અને તે જ આપણો કલ્યાણકારી જીવન માર્ગ છે. ટૂંકમાં કહીએ તો આનંદાલય ચારિત્ર્ય નિર્માણનો પર્યાયવાચી શબ્દ છે.

placeholder image

આજની પ્રાર્થના

હે ઈશ્વર તું મને એવું શાણપણ આપ કે હું યોગ્ય - અયોગ્યમાં ભેદ પારખી શકું. મને મારા જીવનની ક્ષણે ક્ષણની કિંમત છે તેથી, શું કરવું અને શું ના કરવું એની સમજણ આપ. કામ વગરનું અને સમય બગાડતું સઘળું મારાથી દૂર રાખ. જે ખરેખર કરવા લાયક ના હોય તેને ત્યજવાની પુરી હિંમત અને અમોઘ શક્તિ આપ. હે પરમકૃપાળુ પરમાત્મા તું મને ફાલતું વાતોમાંથી, આકર્ષક દૃશ્યોમાંથી, અર્થહીન વિચારોમાંથી અને સમય બરબાદ કરતી તમામ પ્રવૃત્તિઓમાંથી બચાવી લે. આ મારી તને નમ્ર અરજ છે તું મને સઘળાં ફોગટ કામોમાંથી તુરંત ખસેડી લે. ફક્ત ને ફક્ત મારાં અવતાર માટે અર્થપૂર્ણ હોય તેમાંજ પ્રવૃત્ત રાખ. હું વ્યર્થ કામોમાં વ્યસ્ત રહેવા નથી ઈચ્છતો. પ્રભુ તું મને એવી દિવ્ય દૃષ્ટિ અને સ્વચ્છ મન આપજે કે જેથી હું ફક્ત ને ફક્ત અર્થપૂર્ણ હોય તેને જ જોઈ શકું. હે પ્રભુ! મારાં અસ્તિત્વ માટે જે ખરેખર યોગ્ય હોય તેની મને અનુભૂતિ કરાવ કે જેથી તેમાં મારું સઘળું ન્યોછાવર કરી શકું. હે પ્રભુ હું તારી પાસે એવું શાણપણ ઈચ્છું છું કે તું મને માત્રને માત્ર શ્રેષ્ઠતમ અને ઉપયોગી વૃત્તિનું જ દર્શન કરાવ કેમકે હું મારાં મનુષ્ય અવતારને સંપૂર્ણ સાર્થક કરવા ઈચ્છું છું. યોગ્ય કામમાં કરેલી કુરબાની ક્યારેય એળે નથી જતી તેની મને બરાબર ખબર છે. જો તું મને આ વિવેક આપીશ તો મારો આ ભવ ફેરો લેખે થશે.

placeholder image

મારી વાત…

પારાવાર પીડાનું સર્જન છે આનંદાલય.

આજે માણસ સુખાકારી જીવન પાછળ ઘેલો થયો છે. વિશ્વ દિન-પ્રતિદિન સુખ-સમૃદ્ધિ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માણસને અત્યાધુનિક યંત્રોની ભેટ આપી છતાં પણ સમસ્યાઓ દૂર થતી નથી. દુઃખની વાત એ છે કે દિન-પ્રતિદિન નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જાય છે. માણસ રાત-દિવસ મહેનત કરતો હોવા છતાં મુશ્કેલીઓને દૂર કરી પરમ શાંતિને પામીને આનંદ મેળવી શકતો નથી. ખરેખર જેની પાસે અપેક્ષા છે તે શિક્ષણ આજે વ્યક્તિને સાચું જીવન આપી શકતું નથી. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ માણસની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે. આજનું શિક્ષણ માહિતી ઉપલબ્ધ કરાવવા સિવાય બીજું કશું જ નથી. વધુમાં ફક્ત કૌશલ્ય વિકાસ તાલીમો સુધી મર્યાદિત છે.

ભાવ – પ્રતિભાવો

જીજ્ઞાસા - સમાધાન

અતુલભાઈ ઉનાગર (ભાઈજીઆનંદાલયના મુખ્ય સંયોજક છે.
 લેખન કૌશલ્ય વિકાસ કાર્યશાળા. 01 થી 20 જૂલાઈ. (ઓનલાઈન)
જીવન શિક્ષણ કાર્યશાળા. (ઓનલાઈન)
આનંદાલય સ્થાપના દિવસને સંકલ્પ દિન તરીકે ઉજવશે... કાર્યકર્તાઓ દિવસે પરમકૃપાળુ પરમાત્માની સાક્ષીએ બે સંકલ્પ કરે છે. એક સંકલ્પ 'સ્વ-વિકાસ' માટે અને બીજો સંકલ્પ 'સેવાકાર્ય' માટે લે છે.
આનંદાલય દ્વારા દર બુધવારે રાત્રે 08:30 થી 10:00 (દોઢ કલાક) ઓનલાઈન બુધસભા યોજાય છે. પ્રત્યેક બુધસભા ચારિત્ર્ય નિર્માણને કેન્દ્રમાં રાખીને યોજવાનો પ્રયાસ હોય છે. (વધુ માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'બુધસભા' પેજમાં ઉપલબ્ધ છે.
હાં, આનંદાલય દરેક જિલ્લામાં કાર્યરત છે.
માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'આનંદાલય એક પરિચય' પેજમાં ઉપલબ્ધ છે.

ચાલો વાત કરીએ

અમારો સંપર્ક કરો

    ફોટો ગેલેરી

    iStock-1026164798
    iStock-688400020-2 (1)
    fun-activities (1)
    SAVE_20211107_164230
    SAVE_20211107_164204
    SAVE_20211107_164156
    SAVE_20211107_164134
    SAVE_20211107_163946

    અભિયાન

    ભારતના શિક્ષણના વહીવટતંત્ર માટે એક અલગ કેડર અસ્તિત્વમાં આવે. જેનો અધિકારી શિક્ષણના મૂળનો જાણકાર હોય, શિક્ષણતંત્રથી પૂરેપૂરો પરિચિત હોય, જે વિવિધ રાજ્ય અને અન્ય દેશોના શિક્ષણના સિદ્ધાંતોને જાણનારો હોય. તે કુશળ વહીવટકર્તા હોવાની સાથે જીવંત અને સંવેદનશીલ અમલદાર પણ હોય. આ રીતે શિક્ષણ માટે પોતાનો અધિકારી પોતાના ક્ષેત્રનો જાણકાર પ્રાપ્ત થાય, જે ભારતનાં શિક્ષણને સમજી શકે અને સુદ્રઢ સ્વરૂપ આપી શકે.
    દેશના મહત્વપૂર્ણ વિષય શિક્ષણના વહીવટતંત્રના સુચારુ સંચાલન માટે માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલી સનદી સેવા (Civil Service)ને વ્યાખ્યાયિત કરી તેને અસ્તિત્વમાં લાવવામાં આવે. આમ આ સેવા માટે IES (ભારતીય શિક્ષણ સેવા) દાખલ કરવાની તાતી જરૂરિયાત જણાય છે.

    *આનંદાલયની સ્પષ્ટ માગણીઓ :-*

    (01) ‘IES’ને All India Civil Service માં સ્થાન આપવામાં આવે.

    (02) IES’ની પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે, કોઈપણ સ્નાતક, 10 વર્ષનો શિક્ષણનો અનુભવ ધરાવતી કોઈ પણ વ્યક્તિ 45 વર્ષ સુધી પરીક્ષા માટે પાત્ર બને. જેનો અભ્યાસક્રમ માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલો હોય. જેથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનું ચયન થાય.

    (03) દેશના અને રાજ્યના શિક્ષણ વિભાગના તમામ એકમોમાં IES અધિકારીઓની નિમણૂંક આપવામાં આવે. IES અધિકારીઓની બદલી માત્ર ને માત્ર શિક્ષણ વિભાગમાં થાય. તે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા રહે તે ઈચ્છનીય છે કેમકે તેના અનુભવોનો લાભ અન્ય રાજ્યને કે અન્ય શિક્ષણ વિભાગને આપી શકે.

    આજ નો સુવિચાર